યવતમાલ: મહારાષ્ટ્ર (Maharashtra) માં કોરોના (Corona Virus) ના વધતા કેસ જોતા આખરે સોથી વધુ પ્રભાવિત યવતમાલ જિલ્લામાં ફરીથી લોકડાઉન (Lockdown) લગાવવાની જાહેરાત કરાઈ છે. હવે જિલ્લામાં 28 ફેબ્રુઆરી સુધી લોકડાઉન રહેશે. યવતમાલ જિલ્લા પ્રશાસને ગુરુવાર રાતથી દસ દિવસ માટે આ આદેશ જાહેર કર્યો છે. યવતમાલ (Yavatmal) માં કોરોના દર્દીઓની સંખ્યા ખુબ વધી રહી છે. જિલ્લામાં ડિસેમ્બર મહિનાથી લઈને 29 જાન્યુઆરી સુધીમાં 25 દર્દીઓના મોત થયા હતા પરંતુ ફેબ્રુઆરી મહિનામાં આ આંકડો ઘણો વધી ચૂક્યો છે. આ બાજુ અમરાવતી જિલ્લામાં પણ કોરોનાના પગલે આકરા પગલાં લેવાયા છે. સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 13,193 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,09,63,394 પર પહોંચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરાવતીમાં શનિવારથી સોમવાર સુધી જનતા કર્ફ્યૂ
મહારાષ્ટ્ર (Maharashtra) ના અમરાવતી જિલ્લામાં શનિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 8 વાગ્યા સુધી જનતા કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. આ દરમિયાન સમગ્ર અમરાવતી જિલ્લામાં મેડિકલ અને જરૂરી સેવાઓને છોડીને બધુ બંધ રહેશે. અમરાવતીના ક્લેક્ટર શૈલેશ નવાલે આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. 


Lockdown)  લગાવવામાં આવ્યું છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube